અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી

Revision as of 18:22, 21 April 2022 by Atulraval (talk | contribs)


અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી

શ્રેણી સંપાદન: મણિલાલ હ. પટેલ


નર્મદ-દલપતરામથી (૧૮૫૦થી) શરૂ થયેલી અર્વાચીન ગુજરાતી કવિતાના પાંચેક મહત્ત્વના યુગો-પડાવોમાંથી પસાર થનારને સંતોષ સાથે ગૌરવ થાય એવી ગુજરાતી કવિતાની સમૃદ્ધિ રહી છે. એકત્ર ફાઉન્ડેશન દ્વારા કવિતાના વિવિધ તબક્કાઓની કવિતા ડિજિટલ માધ્યમ દ્વારા ભાવકોને સુલભ કરાવવાનું કાર્ય ત્રણ-ચાર રીતિમાં ચાલે છે. આ પ્રકલ્પ અનુઆધુનિક (૧૯૮૦થી ૨૦૧૫) ગુજરાતી કવિતાના કેટલાક મહત્ત્વના કવિઓની પ્રતિનિધિરૂપ રચનાઓને આસ્વાદાત્મક સમીક્ષા લેખ સાથે, કવિ પ્રમાણે અલગ અલગ મૂકવાનો ઉપક્રમ છે. પ્રથમ તબક્કામાં અહીં ૧૦ કવિઓને સમાવ્યા છે. જે તે સંપાદકશ્રીએ કવિતા અને કવિકર્મ વિશે નોંધ કરી છે – એટલે શ્રેણીના સંપાદક તરીકે મારે પુનરાવર્તન કરવાની મને જરૂર લાગી નથી. જે તે કવિમિત્રો અને સંપાદકોનો આભાર માનું છું. હાલ અહીં ઉપલબ્ધ કવિઓ અને સંપાદકો આ પ્રમાણે છે :

કવિ સંપાદક
૧. હરીશ મીનાશ્રુ ઊર્મિલા ઠાકર
૨. નીતિન મહેતા કમલ વોરા
૩. જયદેવ શુક્લ રાજેશ પંડ્યા
૪. વિનોદ જોશી ઉત્પલ પટેલ
૫. કમલ વોરા સેજલ શાહ
૬. યજ્ઞેશ દવે સંજુ વાળા
૭. મણિલાલ હ. પટેલ હસિત મહેતા
૮. મનોહર ત્રિવેદી વિપુલ પુરોહિત
૯. દલપત પઢિયાર રાજેશ મકવાણા
૧૦. સંજુ વાળા મિલિન્દ ગઢવી
૧૧. યોગેશ જોષી ઊર્મિલા ઠાકર

નોંધ : કવિ શ્રી રાજેશ પંડ્યા અને મનીષા જોષીની કવિતાનું સંપાદન ચાલે છે. હવે પછી એ મૂકીશું.
– મણિલાલ હ. પટેલ




અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી

સંપાદક: કમલ વોરા



સંપાદક: કમલ વોરા



સંપાદક: રાજેશ પંડ્યા



સંપાદક: ઉત્પલ પટેલ



સંપાદક: સેજલ શાહ



સંપાદક: સંજુ વાળા



સંપાદક: સેજલ શાહ



સંપાદક: વિપુલ પુરોહિત



સંપાદક: રાજેશ મકવાણા



સંપાદક: મિલિન્દ ગઢવી



સંપાદક: ઊર્મિલા ઠાકર