સોરઠી સંતવાણી/આવડાં તે રૂપ!

From Ekatra Wiki
Revision as of 05:24, 27 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આવડાં તે રૂપ!| }} <poem> મોર તું તો અવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આવડાં તે રૂપ!

મોર તું તો અવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો રે;
મોરલો મરતલોકમાં આવ્યો.
લાલ ને પીળો મોરલો અજબ રંગીલો,
વર થકી આવે વેલો,
સતી રે સુહાગણ સુંદરી રે;
સૂતા તારો શે’ર જગાયો રે,
મોરલો મરતલોકમાં આવ્યો. — મોર તું તો.
ઇંગલા ને પીંગલા મેરી અરજું કરે છે રે,
હજી રે નાથજી કેમ ના’વ્યો;
કાં તો શામળિયે છેતર્યો ને કાં તો,
ઘર રે ધંધામાં ઘેરાયો રે
મોરલો મરતલોકમાં આવ્યો. — મોર તું તો.