સોરઠી સંતવાણી/આવડાં તે રૂપ!

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આવડાં તે રૂપ!

મોર તું તો અવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો રે;
મોરલો મરતલોકમાં આવ્યો.
લાલ ને પીળો મોરલો અજબ રંગીલો,
વર થકી આવે વેલો,
સતી રે સુહાગણ સુંદરી રે;
સૂતા તારો શે’ર જગાયો રે,
મોરલો મરતલોકમાં આવ્યો. — મોર તું તો.
ઇંગલા ને પીંગલા મેરી અરજું કરે છે રે,
હજી રે નાથજી કેમ ના’વ્યો;
કાં તો શામળિયે છેતર્યો ને કાં તો,
ઘર રે ધંધામાં ઘેરાયો રે
મોરલો મરતલોકમાં આવ્યો. — મોર તું તો.

[દાસી જીવણ]