સોરઠી સંતવાણી/નૈ જાવે

From Ekatra Wiki
Revision as of 04:35, 29 April 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નૈ જાવે

નૈ તો જાવે રે નર નૈ જાવે
જેણે સતગરુ સાચને સંચ્યા નર ન જાવે.
તન મન ધન જેણે રે ગુરુજીને અરપ્યાં વા’લા,
દુવદ્યા છોડીને રેવું નિરગુણદાવે. — જેણે.
આવાગમણ રે એને કાંઈ નથી ચડતું વાલા!
સરપ કાંચલડી જેમ દૂજી લાવે. — જેણે.
દાસી જીવણ કે’ સંતો ભીમ કેરે ચરણે,
કર તો જોડીને દાસી ગુણ ગાવે. — જેણે

[દાસી જીવણ]