અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણભાઈ નીલકંઠ /અર્પણ ('રાઈનો પર્વત')

From Ekatra Wiki
Revision as of 07:47, 21 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> જે પુષ્પનાં દલ ખોલીને રજ સ્થૂલને રસમય કરે, અધિકારી તે મધુમક્ષિક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

જે પુષ્પનાં દલ ખોલીને રજ સ્થૂલને રસમય કરે,
અધિકારી તે મધુમક્ષિકા એ મધુતણી પ્હેલી ઠરે;
તુજ સ્પર્શથી મુજ ચક્ષુને કંઈ સ્વપ્નસમું જે લાધિયું
જીવનસખી! તે તુજ વિના રે! જાય કો’ને અર્પિયું?