કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૧૬.શયનવેળાએ પ્રેયસી

Revision as of 07:29, 15 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૬.શયનવેળાએ પ્રેયસી|}} <poem> ચડ્યાં’તાં વાતોએ શયનગૃહમાં, દ્વ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૬.શયનવેળાએ પ્રેયસી

ચડ્યાં’તાં વાતોએ શયનગૃહમાં, દ્વાર ખખડ્યાં.
કવેળાએ આવી ! કશુંય સમજી કો’ નવ શક્યાં.
કશા કૈં સંકોચે ઘડીક અટકી ને મરકતી
હળુ ઊભી; પાસે ગૃહિણી મુજ આ સુંદર બની !
જરા ત્રાંસું ભાળી મુજ તરફ; ને બાલક ભણી
વળી ગૈ. ઓચિંતાં શત શત સર્યાં ચુંબન અને
ભરાયું આખુંયે શયનગૃહ થોડીક પળમાં.
થઈ આડીતેડી કસ વિગતની વાત ઘરની.
પછીથી પુત્રીની શિરીષ ફૂલ શી કેડ ફરતો
લઈ બાંધ્યો દોરો, હૃદય મુજબ ગાંઠ્યું; ઘડીકમાં.
ગૃહિણીનેે ગાલે સહજ ટપલી દૈ; વળી વળી
ફરીથી પુત્રીને ઘન ગરજતાં ચુંબન કરી
પથારીમાં છોડી અવશ મુજને, ને વહી ગઈ.
(અંગત, પૃ. ૨૪)