ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદવિજય-૧

From Ekatra Wiki
Revision as of 05:53, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આનંદવિજય-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. વિમલકીર્તિના શિષ્ય. વિમલકીર્તિના અવસાન (ઈ.૧૬૩૬) પછી રચાયેલી ૬ કડીની ‘વિમલકીર્તિગુરુ-ગીત’(મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). [કુ.દે.]