ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાનાજી સંત નાનો

Revision as of 11:49, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નાનાજી(સંત)/નાનો'''</span> [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તાપી નદીને કિનારે આવેલા રાંદેરના વતની. પત્નીના દ્વેષભર્યા વર્તનથી સંસારત્યાગ કરેલો. કોઈ પ્રભાવી સદ્ગુરુના શિષ્ય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નાનાજી(સંત)/નાનો [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તાપી નદીને કિનારે આવેલા રાંદેરના વતની. પત્નીના દ્વેષભર્યા વર્તનથી સંસારત્યાગ કરેલો. કોઈ પ્રભાવી સદ્ગુરુના શિષ્ય થયેલા. તેમની પાસેથી ૧૭ કડીનો ‘જ્ઞાનકક્કો’(મુ.) અને ભક્તિ-વૈરાગ્યબોધક, ત્રણથી ૭ કડીનાં ૫ પદો(મુ.) મળે છે. કૃતિ : ફાત્રૈમાસિક, ઑક્ટો.-ડિસે. ૧૯૪૦. ‘સંત નાનાજી અને તેમનું અપ્રસિદ્ધ સાહિત્ય’, સં. માણેકલાલ શં. રાણા.[શ્ર.ત્રિ.]