ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નાનાજી સંત નાનો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નાનાજી(સંત)/નાનો [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તાપી નદીને કિનારે આવેલા રાંદેરના વતની. પત્નીના દ્વેષભર્યા વર્તનથી સંસારત્યાગ કરેલો. કોઈ પ્રભાવી સદ્ગુરુના શિષ્ય થયેલા. તેમની પાસેથી ૧૭ કડીનો ‘જ્ઞાનકક્કો’(મુ.) અને ભક્તિ-વૈરાગ્યબોધક, ત્રણથી ૭ કડીનાં ૫ પદો(મુ.) મળે છે. કૃતિ : ફાત્રૈમાસિક, ઑક્ટો.-ડિસે. ૧૯૪૦. ‘સંત નાનાજી અને તેમનું અપ્રસિદ્ધ સાહિત્ય’, સં. માણેકલાલ શં. રાણા.[શ્ર.ત્રિ.]