ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેરુલાભ

From Ekatra Wiki
Revision as of 04:47, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મેરુલાભ'''</span> [ઈ.૧૬૪૯માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિની પરંપરામાં વિનયલાભના શિષ્ય. ૩૦૩ કડીના ‘ચંદ્રલેખાસતી-રાસ’ (ર.ઈ.૧૬૪૯/સં.૧૭૦૫, માગશર વદ ૮, ગુરુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મેરુલાભ [ઈ.૧૬૪૯માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિની પરંપરામાં વિનયલાભના શિષ્ય. ૩૦૩ કડીના ‘ચંદ્રલેખાસતી-રાસ’ (ર.ઈ.૧૬૪૯/સં.૧૭૦૫, માગશર વદ ૮, ગુરુવાર)ના કર્તા. કૃતિને અંતે ‘મુનિ મહાવજી કહિ’ એવી પંક્તિ છે, તેમાં ‘મુનિ મહાવજી’ કર્તાનું અપરનામ છે કે કેમ તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૨; ડિકૅટલૉગભાવિ. [ર.ર.દ.]