ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માધવરામ-૨

From Ekatra Wiki
Revision as of 16:15, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


માધવરામ-૨ [ઈ.૧૮૩૦માં હયાત] : પુષ્ટિમાર્ગીય કવિ. જ્ઞાતિએ બ્રાહ્મણ. અવટંક વ્યાસ. વતન અમદાવાદ. જદુનાથજીના શિષ્ય. આ કવિએ દયારામને ઇશ્વરસંનિધિનો સાચો ઉપાય જાણવા એક પદ્યપત્ર (ર.ઈ.૧૮૩૦/સં.૧૮૮૬, માગશર વદ ૭, ગુરુવાર; મુ.) લખેલો એમાં એમનાં શાસ્ત્રજ્ઞાતા અને મર્મજ્ઞતા પ્રગટ થાય છે. કૃતિ : પ્રાકાસુધા : ૩(સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો; ૩. પુગુસાહિત્યકારો;  ૪. ગૂહાયાદી.[ર.સો.]