ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માધવરામ મહારાજ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માધવરામ(મહારાજ)-૧ [જ.ઈ.૧૮૦૩-અવ.ઈ.૧૮૭૮/સં. ૧૯૩૪, માગશર વદ ૩૦, ગુરુવાર] : જ્ઞાનમાર્ગી કવિ. નિરાંતશિષ્ય. જ્ઞાતિએ લેઉઆ પાટદાર. વડોદરા તાલુકાના હરણી ગામના વતની. પિતાનું નામ બાપુભાઈ.માતાનું નામ સૂરજબા. વડોદરાની ફત્તેહપુરાની ગાદીના સ્થાપક. તેમનાં વૈરાગ્યબોધનાં ૪ પદો મુદ્રિત રૂપે મળે છે. એમાં ‘એકડા’ના ૧ પદમાં એકથી ૧૦ સુધીની સંખ્યામાં જીવશિવના તત્ત્વને આંકડા દ્વારા સમજાવવાનો પ્રયત્ન છે. કૃતિ : ગુમુવાણી. સંદર્ભ : ૧. નિરાંત કાવ્ય, સં. ગોપાળરામ ગુરુ દેવશંકર શર્મા, ઈ.૧૯૩૯;  ૨. ગૂહાયદી.[દે.દ.]