ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજસિંહ મુનિ-૧

Revision as of 04:56, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રાજસિંહ(મુનિ)-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. નયરંગ વાચકની પરંપરામાં વિમલવિજ્યના શિષ્ય. ‘વિદ્યાવિલાસ/વિનય-રાસ/વિનયચટ-રાસ’ (ર.ઈ.૧૬૨૩/સં.૧૬૭૯, વૈશાખ) તથા ૨૭ ઢાળ અને ૫૫૧ ગ્રંથાગ્રની ‘આરામશોભા-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૧/સં.૧૬૮૭, જેઠ સુદ ૯), ‘જિનરાજસૂરિ-ગીત’, ‘પાર્શ્વ-સ્તવન’ તથા ‘વિમલ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : ૧. આરામશોભા રાસ (કથામંજૂષા શ્રેણી પુસ્તક-૭), સં. જયંત કોઠારી અને કીર્તિદા જોશી; ૨. ગુસામધ્ય; ૩. ગુસારસ્વતો; ૪. જૈસાઇતિહાસ; ૫. યુજિનચંદ્રસૂરિ;  ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [ર.ર.દ.]