ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સૌભાગ્યમંડન

From Ekatra Wiki
Revision as of 07:54, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સૌભાગ્યમંડન'''</span> [ઈ.૧૫૫૬માં હયત] : તપગચ્છના જૈન સાધુ. વિનયમંડનનાા શિષ્ય. ‘પ્રભાકર-રાસ’ (ર.ઈ.૧૫૫૬)ના કર્તા. કાવ્યને અંતે “તેહ તણઈ સાનિધિ કરી કહઈ પંડિત મહિરાજ” એવી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સૌભાગ્યમંડન [ઈ.૧૫૫૬માં હયત] : તપગચ્છના જૈન સાધુ. વિનયમંડનનાા શિષ્ય. ‘પ્રભાકર-રાસ’ (ર.ઈ.૧૫૫૬)ના કર્તા. કાવ્યને અંતે “તેહ તણઈ સાનિધિ કરી કહઈ પંડિત મહિરાજ” એવી પંક્તિ છે એટલે કર્તા મહિરાજ હોવાની પણ સંભાવના કરી શકાય. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]