ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સૌભાગ્યમંડન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સૌભાગ્યમંડન [ઈ.૧૫૫૬માં હયત] : તપગચ્છના જૈન સાધુ. વિનયમંડનનાા શિષ્ય. ‘પ્રભાકર-રાસ’ (ર.ઈ.૧૫૫૬)ના કર્તા. કાવ્યને અંતે “તેહ તણઈ સાનિધિ કરી કહઈ પંડિત મહિરાજ” એવી પંક્તિ છે એટલે કર્તા મહિરાજ હોવાની પણ સંભાવના કરી શકાય. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]