દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧૪. સીતાપતિએ ન જાણ્યું

From Ekatra Wiki
Revision as of 16:09, 4 April 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૪. સીતાપતિયે ન જાણ્યું|મનહર છંદ}} <poem> સીતાપતિયે ન જાણ્યુ સીતાનુંહરણ થશે, સીતાએ ન જાણ્યું જે સંન્યાસી પ્રતિકૂળ છે; દેવપતિએ ન જાણ્યું દમયંતી નહિ પામું, નારદે ન જાણ્યું મોહિની...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૪. સીતાપતિયે ન જાણ્યું

મનહર છંદ

સીતાપતિયે ન જાણ્યુ સીતાનુંહરણ થશે,
સીતાએ ન જાણ્યું જે સંન્યાસી પ્રતિકૂળ છે;
દેવપતિએ ન જાણ્યું દમયંતી નહિ પામું,
નારદે ન જાણ્યું મોહિની તો માયા મૂળ છે;
ગૌતમે ન જાણ્યું જે આ કૂકડામાં કપટ છે,
શુક્રે ન જાણ્યું જે ઝારીમાં સંકટ શૂળ છે;
કહે દલપતરામ આજ કળિકાય મધ્ય
જોશિયો જાણે ધારવું તે ધૂળ છે.