કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૪. તમે શું કહેશો?

From Ekatra Wiki
Revision as of 16:00, 13 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૪. તમે શું કહેશો?

તરફડાટ એટલે…?
તમે કહેશો
જલ બહાર આણેલી
કોઈ માછલીને પૂછી જુઓ!
પણ
ઘૂઘવતા ઉદધિની ભીતર
જે
કોરું કોરું તરફડે
એને
તમે શું કહેશો?


(વિદેશિની, પૃ. ૨૮-૨૯)