કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૩૬. ભીનાશ

Revision as of 02:18, 14 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૩૬. ભીનાશ

સરોવરના
નિષ્કંપ જળને તળિયે
વેરાયેલા તારલાને
વીણવા
મેં
પાળ પર બેસીને
હાથ ડુબાડ્યો.
જળનું પોત
જરીક કંપ્યું
તારલા વીખરાયા
ને હાથ માત્ર ભીનો થયો.


(દ્વિદેશિની, પૃ. ૧૪૭)