કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૪૪. બાને પ્રશ્ન

Revision as of 02:30, 14 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૪૪. બાને પ્રશ્ન

બા તમે કહેલું
કે
બંધિયાર ઘરમાં
એકલું લાગે
ત્યારે
પૂર્વની બારીઓ ખોલી નાંખજે
અને
ભીંતોને રંગી દેજે સવારના તડકાથી.
મેં આજે
પૂર્વની બારીઓ ખોલી નાંખી છે
અને
બધી ભીંતો
સોનેરી સોનેરી થઈ ગઈ છે
તોય બા,
એકલું કેમ લાગે છે મને?


(દ્વિદેશિની, પૃ. ૨૩૮)