કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૨. કવિનું મૃત્યુ

Revision as of 01:47, 15 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૨. કવિનું મૃત્યુ


ચોકની વચ્ચે પડેલા
એક ઉંદરના મરેલા
દેહ પર તીણા ઉઝરડા ન્હોરના
થીજી રહ્યા છે આજ ઠંડા પ્હોરના.
જોઉં છું હું, જોઉં છું હું,
જોઉં છું — જોતો નથી.
મારી નજર તો સાવ ખાલી,
આંખ જાણે કાચનો કટકો,
અને હું કાળજે કંપું નહીં
ને આ હૃદયમાં ક્યાંય ના ખટકો!
હવે તો બસ કરું,
જંપું અહીં.

૧૯૫૨
(સાયુજ્ય, ૧૯૭૨, પૃ. ૨)