કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૭. મન

Revision as of 18:48, 8 July 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭. મન| નિરંજન ભગત}} <poem> ક્યાંય આછોય તે એક તારો નથી એટલો ગગનમાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૭. મન

નિરંજન ભગત

ક્યાંય આછોય તે એક તારો નથી
એટલો ગગનમાં ગાઢ અંધાર છે,
છેક છાયા સમો; તે છતાં કેટલો ભાર છે!
આભના ગૂઢ અંધત્વને ક્યાંય આરો નથી.

મેઘ પર મેઘના ડોલતા ડુંગરા
તે છતાં શાંત છે કેટલાં સ્પન્દનો!
અંતરે આંસુનાં નીરના કૈં ઝરા
તે છતાં મૌન છે કેટલાં ક્રન્દનો!

જોયું મેં આજ આષાઢના ગગનને?
કે પછી માહરા ગહન શા મંનને?
૧૯૪૮

(બૃહદ છંદોલય, પૃ. ૪૦)