બાળ કાવ્ય સંપદા/આજ પ્રભાતે

Revision as of 05:31, 16 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
આજ પ્રભાતે

લેખક : સુરેશ દલાલ
(1932-2012)

આજ પ્રભાતે વાંસળી વાગી
આંખડી જાગી;
પંખી કૂજે
માવડી ઘરનો ઉંબરો પૂજે !
આજ પ્રભાતે ચાંદલો ડૂબ્યો
સૂરજ ઊગ્યો
ઝાકળભીની
ફૂલકળી લે માલણ વીણી !
આજ પ્રભાતે શમણે ઝૂલ્યો
ભણવું ભૂલ્યો;
નમણી પરી
અબીલ-ગુલાલ વેરતી સરી !
આજ પ્રભાતે કંઠમાં મારા
ગીતની ધારા
ગાઈ લઉં છું
મનફાવે તે સૂરમાં હું તો ન્હાઈ લઉં છું !