શેક્સ્પિયર/પ્રકાશક-સંસ્થાનું નિવેદન
Jump to navigation
Jump to search
પ્રકાશક-સંસ્થાનું નિવેદન
(પ્રથમ આવૃત્તિ)
મહાકવિ શેક્સ્પિયરની ચતુર્થ જન્મશતાબ્દી 1964માં ઊજવાઈ તે પ્રસંગે અંગ્રેજી સાહિત્યના પ્રખર અભ્યાસી અને જાણીતા પ્રાધ્યાપક આચાર્ય સંતપ્રસાદ ર. ભટ્ટે ‘સંસ્કૃતિ’માં જે પંદર જેટલા અભ્યાસલેખો દ્વારા એ મહાવિભૂતિને અંજલિ આપી તેને ગ્રંથાકારે પ્રસિદ્ધ કરવાનું યુનિવર્સિટીએ ઠરાવ્યું. તેના ફળ રૂપે આ પુસ્તક આજે પ્રસિદ્ધ થતાં આપણા અલ્પધન વિવેચન-સાહિત્યમાં એક મૂલ્યવાન મૌલિક ગ્રંથનો ઉમેરો થશે એ આનંદની વાત છે. ગુજરાત યુનિવર્સિટીના પ્રકાશન તરીકે આ ગ્રંથ પ્રસિદ્ધ કરવાની સંમતિ આપવા માટે આચાર્ય સંતપ્રસાદ ર. ભટ્ટનો હું આભારી છું. આપણા શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને અન્ય સાહિત્યપ્રેમી મિત્રોને આ પ્રકાશન રસપ્રદ અને ઉપયોગી નીવડશે એમ આશા રાખું છું.
ગુજરાત યુનિવર્સિટી,
અમદાવાદ-9.
કં. ચં. પરીખ
કુલસચિવ
જાન્યુઆરી 30, 1970.
સૌર માઘ 10, 1891 (શક).