ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/એક ઘડીના પંચોતેરમા ભાગનો ઉન્માદ

Revision as of 23:59, 24 July 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
એક ઘડીના પંચોતેરમા ભાગનો ઉન્માદ

રાવજી પટેલ

એક ઘડીના પંચોતેરમા ભાગનો ઉન્માદ (રાવજી પટેલ; ‘વૃત્તિ અને વાર્તા’, ૧૯૭૭) ક્ષયના વૉર્ડના ત્રણ નંબરના દર્દી તેમ જ એના પડોશી દર્દીઓના સંદર્ભમાં થતાં નિરૂપણની સાથે નિરૂપકની ત્રણ નંબરના દર્દી સાથેની એકરૂપતા, એના આસપાસના અને મૃત્યુની ક્ષણના અનુભવને ઝીલવા મથે છે. વાર્તાકારે પોતાના અંગત અનુભવથી વિશેષ દૂર ગયા વગર કથાનક રચવાનો પ્રયત્ન કર્યો છે.
ચં.