બા
ધનસુખલાલ મહેતા
બા (ધનસુખલાલ મહેતા; ‘ભૂતના ભડકા’, ૧૯૩૨) પતિના મૃત્યુ બાદ મમતાથી ઉછેરેલા ત્રણે પુત્રો એક પછી એક પોતાની પત્નીને લઈને જુદા રહેવા ચાલી જાય છે અને ‘બા’ એકલી અને અસહાય, પાછળ રહી જાય છે. વેદનાથી ફસડાઈ પડતી વૃદ્ધાનું અંતરનું આલેખન વેધક બન્યું છે.
ચં.