ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વ/વહેંચણી

Revision as of 03:08, 13 August 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વહેંચણી|મોહનલાલ પટેલ}} '''વહેંચણી''' (મોહનલાલ પટેલ; ‘મોહનલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ, સં. રઘુવીર ચૌધરી, ૧૯૮૮) ઘરમાં ઘી ન હોય એવી સ્થિતિમાં પણ પ્રીતમલાલ ત્રણ દીકરાઓ માટે કલાત્મક ચ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
વહેંચણી

મોહનલાલ પટેલ

વહેંચણી (મોહનલાલ પટેલ; ‘મોહનલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ, સં. રઘુવીર ચૌધરી, ૧૯૮૮) ઘરમાં ઘી ન હોય એવી સ્થિતિમાં પણ પ્રીતમલાલ ત્રણ દીકરાઓ માટે કલાત્મક ચીજવસ્તુઓ, રાચરચીલું વસાવે છે. હવે એ બધું દીકરાઓને વહેંચી દેવા માંગે છે પણ સારું કમાતા દીકરાઓને એ બધું જગા રોકનારું લાગે છે. દુ:ખી થયેલા પ્રીતમલાલ પત્નીને કહે છે : “જીવ કેમ ન બળે પ્રભુલાલની બા... દીકરાઓના સુખના ખ્યાલ આડે તારા સુખનો મેં કોઈ દિવસ વિચાર સુધ્ધાં ન કર્યો.” બે પેઢી વચ્ચેનો રુચિભેદ અહીં સુપેરે ધ્વનિત થયો છે.
પા.