અલગારી રખડપટ્ટી/કૃતિ-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કૃતિ-પરિચય


અલગારી રખડપટ્ટી

આ નાનકડી પુસ્તિકાએ એના લેખક રસિક ઝવેરીને ગુજરાતીના પ્રવાસ-સાહિત્યમાં મહત્ત્વનું સ્થાન અપાવ્યું. આ પુસ્તકનું સૌથી મોટું આકર્ષણ તો લેખકની રસિક પ્રવાહી શૈલી છે. એમણે જે આલેખ્યાં છે એ દૃશ્યચિત્રોને આપણે સીધાં જ અનુભવી શકીએ એવો એમના ગદ્યનો જાદુ છે. બીજી અગત્યની બાબત એ છે કે, શું ભારતમાં કે શું લંડનમાં, મનુષ્યમાત્ર સરખા – માયાળુ, વિલક્ષણ અને સ્નેહપાત્ર હોય છે, એવું રસિકભાઈનું અનુભવ-દર્શન. એટલે એમને સ્થળના વૌવિધ્ય પાછળ મનુષ્યમન એકસરખું હૃદ્ય લાગે છે.

રમૂજી આનંદી પ્રસંગો તેમ જ કરુણ અને કરુણાસભર વ્યિક્તઓનાં રેખાંકનોને લીધે આ પુસ્તક એક વાર વાંચવા લીધા પછી છોડવાનું મન નહીં થાય.

તો, પ્રવેશીએ?

(પરિચય: રમણ સોની)