કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૫૦. વિદાય વેળાએ વિસર્જન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૫૦. વિદાય વેળાએ વિસર્જન

ઉશનસ્

વિદા લેવાની યે પળ પણ પૂગી આવી; જવું છે
અજાણ્યા આઘેના પરિચય વિનાના મુલકમાં;
ઉલ્લંઘાશે રેખા સરહદી અહીંની પલકમાં,
વિસર્જી આંહીનું વજન અહીં, ખાલી જ થવું છે;

ઘણો લાંબો — જાણું છું હું પથ અને એકલ જવું;
ઉતારીને બોજો શિર, પીઠ અને કાંધ પરથી:
ચઢાણો યે હોંશે ગિરિસમ સીધાં કૈં શિખરથી,
ઉશેટી ઇચ્છાઓ, સ્મૃતિ પણ, થવું સાવ હળવું;

વિસર્જું, લ્યો, જાઓ ગગન મુજ, આદિ ગગનમાં,
મહારી પૃથ્વી તે પૃથુલ પૃથિવીમાં ભળી જજો;
મહારા પાંચે યે ભૂત, અસલ પંચત્વ ભળજો,
રહેજો ના બાકી કંઈ જ હુતશેષે જગનમાં;

પરંતુ કેમે ના છૂટત હિય, જ્યાં પ્રીત ઉછરી;
જઉં કોને આપી સમજ ન પડે;
અનહદ! તને લે, દઈ દઉં છું બ્રહ્માર્પણ કરી.

(શબ્દ મેં પ્રેમ ભણી વાળ્યો છ,ે પૃ. ૧૦૦)