કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩૮. અઘરું નચિકેત થવાનું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩૮. અઘરું નચિકેત થવાનું

જયન્ત પાઠક

આમ
ઉંબર સુધી આવીને પાછા ફરવાનું!
ગમતું તો નથી; પણ શું થાય?
સજ્જડ ઝાલ્યો મને
આ વેલીએ, આ હરણાએ
આ તરણાએ, આ ઝરણાએ
જીવનાશ્રમની સકલ વ્હાલપે, કરુણાએ
ખેંચી રાખ્યો સખત મને પાછળથી.
કોઈ બોલ્યું નહિ વિદાયવચનો — આશીર્વાદ;
અરે તિરસ્કારનો એક બોલ
એક હડસેલોય પૂરતો થાત.

હવે
આમ ઉંબર સુધી આવીને પાછા ફરવાનું!
ખરેખર, કેટલું અઘરું છે નચિકેતા થવાનું!

૨-૨-૧૯૮૫

(ક્ષણોમાં જીવું છું, પૃ. ૩૫૭-૩૫૮)