કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/વડવાયું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૬. વડવાયું

ઘરને ઘેરી વળી વડવાયું.
હોંશે કરીને અમે વૃક્ષને વાવિયું ને,
હોંશે કરીને નીર પાયું;
માની લીધું કે વડ વા ઝડી ઝીલશે ને
દેશે આતપમાં છાંયું.
ઘરને ઘેરી વળી વડવાયું.
સૂરજ મા’રાજને આઘેરા રાખતું;
ડાળીનું માળિયું રચાયું;
એકથી અનેક એવાં મૂળ ફૂટિયાં
જેથી ઘર ધરમૂળથી ખોદાયું.
ઘરને ઘેરી વળી વડવાયું.
બળતા બફારા અમ આતમને મૂંઝવે,
વડલે અટવાયા શીત વાયુ;
ઓછાં હતાં અમારાં આપદનાં ઓઢણાં
કે વડલે લાગી ગઈ છે લ્હાયું!
ઘરને ઘેરી વળી વડવાયું.

(રામરસ, પૃ. ૨૨)