કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/મેળ હશે તો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૪. મેળ હશે તો

મેળ હશે તો મળશું!
નહીં તો હર્યાભર્યાં મારગ પર ઉજ્જડ થઈ આથડશું!

લાખ લોકની લીલામાં લયલીન થઈને,
ભીતરથી તો ભારે ને ગમગીન થઈને,
હોઠ ઉપરના ઈન્દ્રધનુષથી આંસુને આંતરશું — મેળ૦

અને મળ્યાં તો મળી જાય અહીં મેળો,
સાગર થઈ છલકાય સુકાયલ વ્હેળો,
મળ્યાં છતાં નહીં મળ્યાં વ્યથા એ કેમ કરી સાચવશું? — મેળ૦

૧૯૬૮(કાવ્યસૃષ્ટિ, પૃ. ૧૧૧)