ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ભ/ભીતરના તાગ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ભીતરના તાગ

મોહનલાલ પટેલ

ભીતરના તાગ (મોહનલાલ પટેલ; ‘મોહનલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ’, સં. રઘુવીર ચૌધરી, ૧૯૮૮) ગ્રંથકાર મહેન્દ્રનાથ પત્ની અને પુત્રથી વેગળા રહે છે. વાર્તારસિયા પુત્ર અનંતને એ વાર્તા કહેવાને બદલે ધુત્કારે છે. તેની બીમારીને પણ અવગણે છે પણ પુત્રમૃત્યુ એમને વિમૂઢ કરી દે છે. બૌદ્ધિક શિસ્તમાં જકડાયેલા એ મોકળે મને રડી પણ શકતા નથી. જીવનવિમુખ વિદ્યા કેવી તો નિસ્સાર નીવડે છે.- તે અહીં પૂરી નિસબત અને નિર્મમતાથી આલેખાયું છે.
ર.