ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મગમાળા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મગમાળા

પન્નાલાલ પટેલ

મગમાળા (પન્નાલાલ પટેલ; ‘જિંદગીના ખેલ’, ૧૯૪૧) મોંઘી ડોશીએ મરતી વેળા સોનાની મગમાળા બ્રાહ્મણ જદુરામને આપવાનું કહેલું પણ પુત્ર જગજીએ પોતા પાસે રાખી મૂકી. છેવટે કુટુંબ પર વીતવા માંડતાં એ માળા બાહ્મણ ડાહ્યારામને આપી દીધી. ડાહ્યારામની પત્ની મગમાળા સાથે ડોશીનું ભૂત આવ્યું છે એવી બીકમાં મૃત્યુ પામે છે. ડાહ્યારામ માળા જદુરામને જઈને આપી આવે છે લોકવહેમના સ્તર નીચે અપારધવૃત્તિના વળને આ વાર્તા કલાત્મક રીતે વ્યંજિત કરે છે.
ચં.