ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુંવરવિજય-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કુંવરવિજય-૧ [ઈ.૧૬મી સદીનો અંત-ઈ.૧૭મી સદીનો આરંભ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં નયવિજયના શિષ્ય. ઈ.૧૫૯૬માં થયેલા હીરવિજયસૂરિના અવસાન સુધીની ચરિત્રરેખા આપતા અને પછીના તરતના સમયમાં રચાયેલા જણાતા ૮૧/૮૩ કડીના ‘હીરવિજયસૂરિ-સલોકો’ (મુ.), ૧૩ કડીની ‘ચંદનબાળા-સઝાય’(મુ.), ૨૯ કડીના ‘ચોવીસજિન-નમસ્કાર’, ૧૧ કડીની ‘મનસ્થિરીકરણ-સઝાય’ અને ‘સપ્તસ્મરણ-સ્તબક’ના કર્તા. કૃતિ : ૧. જૈઐકાસંચય; ૨. સજ્ઝાયમાળા(પં.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧,૩(૧); ૨. મુપુગૂહસૂચી. [ર.સો.]