ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નારાયણ મુનિ-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


નારાયણ(મુનિ)-૩ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ૩૩ કડીના ‘ચંદ્રપ્રભજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૬), ૧૫ કડીના ‘સુવિધિજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૬), ૩૭ કડીના ‘શાંતિનાથજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૭), ૨૨ કડીના ‘શીતલજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૭), ‘સુમતિજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૭), ‘વાસુપૂજ્ય જિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૯), ૨૫ કડીનું ‘વિમલનાથજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૨૯) ૧૫ કડીનું ‘મહાવીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૩૦), ૨૧ કડીનું ‘અભિનંદનજિન-સ્તવન’ (ર.ઈ ૧૬૩૧), ૧૯ કડીનું ‘સંભવજિન-સ્તવન’ (ર. ઈ.૧૬૩૨) તથા ૧૭ કડીના ‘નેમિનાથ જિન-સ્તવન’ વગેરે સ્તવનોના કર્તા. આ નારાયણમુનિને પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ તરીકે ઓળખાવવામાં આવ્યા છે. પરંતુ એ હકીકત શંકાસ્પદ જણાય છે. કદાચ એ કૃતિઓ નારાયણમુનિ-૨ની હોવાની સંભાવના છે. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]