ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મલુકચંદ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મલુકચંદ-૧ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : પાર્શ્વચંદ્રસૂરિની પરંપરામાં વીરચંદ્રના શિષ્ય. ૫ કડીના ‘શંખેશ્વરપાર્શ્વજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૯૦/સં.૧૮૪૬, મહા/વૈશાખ, સુદ ૧૦; મુ.), ૬ કડીના ‘(માંડલપુર મંડણ) શ્રીગાડલીયા-પાર્શ્વનાથ-સ્તવન’(મુ.), ૬ કડીના ‘ગિરનારતીર્થનેમિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૭૮૨/સં.૧૮૩૮, ફાગણ સુદ ૫; મુ.), ૭ કડીના ‘શત્રુંજ્ય તીર્થ-સ્તવન’(મુ.)ના કર્તા. તેમની પાસેથી સંસ્કૃતમાં ‘શ્રી પાર્શ્વનાથાષ્ટક’(મુ.) અને ‘ચિંતામણિ પાર્શ્વજિન-સ્તોત્ર’ મળે છે. કૃતિ : ૧. જિનેન્દ્રગુણ રત્નમાલા : ૧. પ્ર. શાહ કેસવજી રાજપાળ, વીર સં. ૨૪૩૧; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. પ્રકરણરત્નાકર :૧; પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૮૭૬. [શ્ર.ત્રિ.]