ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માંડણ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


માંડણ-૧ [ઈ.૧૪૪૨માં હયાત] : કડવાગચ્છના શ્રાવક કવિ. ૨૫૮ કડીના ‘શ્રીપાલ/સિદ્ધચક્ર-રાસ’ (ર.ઈ.૧૪૪૨/સં. ૧૪૯૮, કારતક સુદ ૫, ગુરુવાર; અંશત: મુ.)ના કર્તા. કેટલાક સંદર્ભોમાં ‘નલદમયંતી-રાસ’ આ કર્તાને નામે મુકાયો છે, પરંતુ તે ખરેખર આ કર્તાની રચના નથી. એક જ હસ્તપ્રતમાં બે કૃતિઓ એક સાથે હોવાને કારણે આમ બન્યું છે. કૃતિ : જૈનયુગ, કારતક-માગશર ૧૯૮૩. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મસાપ્રવાહ; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૩-‘કડુઆ મત પટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય’, અગરચંદ નાહટા;  ૫ જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]