ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માધવદાસ-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


માધવદાસ-૪ [ઈ.૧૬૮૪માં હયાત] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. શ્રી હરિરાયજીના ભક્ત. ‘રાસવિલાસ’ (ર.ઈ.૧૬૮૪/સં.૧૭૪૦, માગશર સુદ ૧, શનિવાર; *અંશત: મુ.)ના કર્તા. ‘અનુગ્રહ’, એપ્રિલ ૧૯૫૭ના અંકમાં ‘રાસવિલાસ’ના કર્તા માધવાદાસ તથા શ્રીનાથજી સં. ૧૭૨૮માં વ્રજ છોડી મેવાડ પધાર્યા ત્યારે એ ઐતિહાસિક પ્રસંગને અનુરૂપ કાવ્ય રચનાર માધવદાસને જુદા ગણ્યા છે, પરંતુ ‘પુષ્ટિમાર્ગીય જૂના ગુજરાતી સાહિત્યકારો વિશે કંઈક’ બંને માધવદાસને એક ગણતા લાગે છે. કૃતિ : *અનુગ્રહ, મે ૧૯૫૨-, સં. ચિમનલાલ મ. વૈદ્ય. સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો;  ૨. અનુગ્રહ, એપ્રિલ ૧૯૫૭-‘વ્હાલો ભલે આવ્યા’(કાવ્ય), સં. ચિમલાલ મ. વૈદ્ય (+ સં.). [ર.સો.]