ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુકુન્દ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મુકુન્દ-૨ (ઈ.૧૬૫૨માં હયાત) : દ્વારકાના વતની. જ્ઞાતિએ ગૂગળી બ્રાહ્મણ. કેશવાનંદના શિષ્ય. એમની પાસે હિંદીનો અભ્યાસ કરેલો. ગુરુની પ્રેરણાથી એમણે રચેલી ગણાતી ‘ભક્તમાળા’ના પહેલા મણકારૂપ ૧૫ કડવાંનું, બહુધા હિંદીમાં લખાયેલું ‘કબીરચરિત્ર’ (ર.ઈ.૧૫૬૨) અને આઠમા મણકારૂપ, ૯ કડવાંનું હિંદીની છાંટવાળું ‘ગોરક્ષચરિત્ર’ (ર.ઈ.૧૬૫૨) મુદ્રિત થયેલાં છે. આ કૃતિઓમાં ઝડઝમક અનુપ્રાસ જેવી યુક્તિઓની અતિશયતા ધ્યાન ખેંચે એવી છે. આ કાવ્યોની કોઈ હસ્તપ્રત મળતી ન હોવાથી એમનું કર્તૃત્વ કેટલાકને શંકાસ્પદ લાગ્યું છે. કૃતિ : પ્રાકામાળા : ૧૧. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક અને વધુ માર્ગસૂચક સ્તંભો, કૃષ્ણલાલ મો. ઝવેરી, ઈ.૧૯૫૮ (સંવર્ધિત આ.); ૩. ગુહિવાણી; ૪. પ્રાકકૃતિઓ; ૫. મગુઆખ્યાન;  ૬. ગૂહાયાદી.[ર.સો.]