ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુક્તિસાગર-૧-રાજસાગર પંડિત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મુક્તિસાગર-૧/રાજસાગર(પંડિત) [જ.ઈ.૧૫૮૧-અવ.ઈ.૧૬૬૫/સં.૧૭૨૧, ભાદરવા સુદ ૬] : તપગચ્છના જૈન સાધુ. લબ્ધિસાગરના શિષ્ય. પિતાનામ દેવીદાસ. માતા કોડાં/કોડમદે. મૂળનામ મેઘજી. આચાર્યપદ મળ્યા પછી કવિ રાજસાગર નામથી ઓળખાતા હતા. ઈ.૧૬૨૩માં કવિને ઉપાધ્યાયપદ મળ્યું હતું. તપગચ્છની સાગરશાખાની સ્થાપના તેમણે કરી હતી. ૬૮ કડીની ‘કેવલીસ્વરૂપ-સઝાય’ (ર.ઈ.૧૬૧૬થી ઈ.૧૬૩૦ સુધીમાં; મુ.)ના કર્તા. કૃતિ : જિનાજ્ઞાસ્તોત્ર તથા કેવલિસ્વરૂપસ્તવન, સં. લાભસાગર, સં. ૨૦૨૪. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨ - ‘જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલી’  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી.[કી.જો.]