ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેરુનંદન ઉપાધ્યાય-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મેરુનંદન(ઉપાધ્યાય)-૧ [ઈ.૧૩૭૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિની પરંપરામાં જિનોદયસૂરિના શિષ્ય. ૬૦ કડીના આંતરપ્રાસવાળા દુહાબંધમાં રચાયેલા ‘જિરાઉલી/જિરાપલ્લી પાર્શ્વનાથ-ફાગુ’ (ર.ઈ.૧૩૭૬; મુ.), જિનોદય થયા પૂર્વેના કિશોર સમયના સંયમશ્રી સાથેના દીક્ષા-વિવાહનું વર્ણન કરતું ઘાત અને ભાસમાં વિભાજિત ઝુલણાબંધની ૪૪ કડીનું ‘જિનોદયસૂરિ-વિવાહલઉ’ (ર.ઈ.૧૩૭૬ના અરસામાં; મુ.), ૩૩ કડીનું ‘અજિતનાથ-સ્તવન/અજિત-વિવાહલો’(મુ.), ૧૦/૧૧ કડીનો ‘ગૌતમસ્વામી-છંદ’, ૮ અને ૨૫ કડીની ૨ ‘સ્થૂલિભદ્રમુનીન્દ્રચ્છંદાંસિ’ તથા ૩૧ કડીનું ‘સીમંધરસ્વામી-સ્તવન’-એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. ઐરાસંગ્રહ : ૩(+સં.); ૩. પ્રાફાગુસંગ્રહ (+સં.). સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ઉત્તરઅપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૩. ગુસાઇતિહાસ : ૧; ૪. ગુસારસ્વતો; ૫. જૈસાઇતિહાસ; ૬. પ્રાકારૂપરંપરા; ૭. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮;  ૮. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨); ૯. જૈમગૂકરચનાએં : ૧; ૧૦. મુપુગૂહસૂચી; ૧૧. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]