ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાયચંદ ઋષિ-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


રાયચંદ(ઋષિ)-૪ [ઈ.૧૮મી સદી] : લોંકાગચ્છના જૈન સાધુ. ભૂધરજીની પરંપરામાં જેમલજીના શિષ્ય. ‘ચિત્તસમાધિ/દર્શન-પચીસી’ (ર.ઈ.૧૭૭૭; મુ.), ‘લોભ-પચીસી’ (ર.ઈ.૧૭૭૮/સં.૧૮૩૪, આસો સુદ-; મુ.), ‘જ્ઞાન-પચીસી’ (ર.ઈ.૧૭૭૯; મુ.), ૨૭ કડીની ‘જોબન-પચીસી’ (ર.ઈ.૧૭૮૪) તથા ‘કપટ-પચીસી’ આ ૫ પચીસીઓ; ‘કલાવતી-ચોપાઈ’ (ર.ઈ.૧૭૮૧/સં.૧૮૩૬, આસો સુદ ૫), ૬૨ ઢાલની ‘મૃગલેખાની ચોપાઈ/મૃગાંકલેખા-રાસ’ (ર.ઈ.૧૭૮૨/સં.૧૮૩૮, ભાદરવા વદ ૧૧), ૨૮ ઢાલની ‘નર્મદાસતી-ચોપાઈ’ (ર.ઈ.૧૭૮૫/સં.૧૮૪૧, માગશર-) તથા ‘નંદન-મણિહાર-ચોપાઈ’; ૪ ઢાલ અને ૪૫ કડીની ‘મરુદેવી-માતાની ઢાળો/સઝાય’ (ર.ઈ.૧૭૯૯/સં.૧૮૫૫ જેઠ-; મુ.), ‘અષાઢભૂતિની પાંચ ઢાલની સઝાય’ (ર.ઈ.૧૭૮૦/સં.૧૮૩૬, આસો વદ ૧૦; મુ.), ૬ કડીની ‘ચંદનબાલા-સઝાય’, ૪ ઢાળની ‘ચેતનપ્રાણીની સઝાય’, ૧૬ કડીની ‘વાદ-સઝાય’(મુ.), ‘સીતાસમાધિની સઝાય’, ૨૧ કડીની ‘નાલંદા પાડાની સઝાય’(મુ.) વગેરે સઝાયો; ‘રાજિમતી રહનેમિનું પંચઢાળિયું’ (ર.ઈ.૧૭૯૯/સં.૧૮૫૫ આસો-; મુ.), ૬ ઢાળની ‘ચેલણા-ચોઢાળિયું’ (ર.ઈ.૧૭૬૪/સં.૧૮૨૦ વૈશાખ સુદ ૬; મુ.), ૮ ઢાળની દુહાદેશીબદ્ધ ‘આઠ પ્રવચનમાતા-ચોપાઈ/ઢાલ’ (ર.ઈ.૧૭૬૫/સં.૧૮૨૧, ફાગણ વદ ૧; મુ.), ‘દેવકી-ઢાલ’ (ર.ઈ.૧૭૮૩) આદિ ઢાળિયાં; તેમ જ ‘વીરજિન-છંદ’ (ર.ઈ.૧૭૭૭; મુ.), ‘ગૌતમસ્વામી-રાસ’ (ર.ઈ.૧૭૭૮/સં. ૧૮૪૫, ભાદરવા સુદ ૯; મુ.), ૪૭ ઢાળનું ‘ઋષભ-ચરિત્ર (ર.ઈ.૧૭૮૪/સં.સં. ૧૮૪૦ આસો સુદ ૫), ‘મહાવીરજિનદિવાળી-સ્તવન’ (ર.ઈ.૧૭૮૯; મુ.), ૧૩ અને ૧૫ કડીનાં ‘મરૂદેવીમાતાનાં ૨ સ્તવન’ (ર.ઈ.૧૭૭૭/સં.૧૮૩૩, કારતક વદ ૭ અને ર.ઈ.૧૭૯૪/દ્બટ.૧૮૫૦, જેઠ-; મુ.), ૧૯ કડીનું ‘શિવપુરનગરનું સ્તવન’ (ર.ઈ.૧૭૬૪; મુ.), ૧૬ કડીનું ‘આઠજિનવરનું સ્તવન’ (ર.ઈ.૧૭૮૦; મુ.), ‘સીમંધર-સ્તવન’ (ર.ઈ.૧૭૮૦; મુ.) તથા હિન્દીમિશ્ર રાજસ્થાની ભાષામાં રચેલી નાનીમોટી અનેક કૃતિઓ આ કવિ પાસેથી મળી છે. કૃતિ : ૧. જૈન વિવિધ ઢાલ સંગ્રહ, પ્ર. જેઠમલ સેઠિયા, ઈ.૧૯૨૩; ૨. જૈરસંગ્રહ; ૩. જૈસમાલા(શા) : ૧, ૨; ૪. જૈસસંગ્રહ(જૈ); ૫. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧, ૨, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨; ૬. વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨ (૭મી આ.); ૭ વિવિધ રત્નસ્તવનસંગ્રહ : ૩, સં. ગોવિંદરામ ભી. ભણસાલી, ઈ.૧૯૨૪; ૮. શ્રાવક સ્તવનસંગ્રહ : ૨, ૩, સં. પાનમલ ભૈ. શેઠિયા, ઈ.૧૯૨૩; ૯. સસન્મિત્ર (ઝ) સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. દેસુરાસમાળા; ૪. મરાસસાહિત્ય;  ૫. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૬. ડિકૅટલૉગબીજે; ૭. મુપુગૂહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]