ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાયચંદ-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાયચંદ-૩ [ઈ.૧૭૪૧માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ભાગચંદની પરંપરામાં ઋષિ ગોવર્ધનજીના શિષ્ય. ૪૮ કડીની ‘અવંતિસુકુમાલ-ચોઢાલિયું’ (ર.ઈ.૧૭૪૧/સં. ૧૭૯૭, આસો વદ અમાસ), ‘થાવચ્ચાકુમારનું ચોઢાલિયું’ (ર.ઈ.૧૭૩૯ કે ૧૭૪૧/સં. ૧૭૯૫ કે ૧૭૯૭, આસો સુદ ૧૦; મુ.) તથા ૨૧ કડીની ‘મેઘરથરાજાની સઝાય’ (ર.ઈ.૧૭૪૧/સં.૧૭૯૭, માસ ખમણ દિવસ; મુ.)ના કર્તા. કૃતિ : ૧. રત્નસાર : ૨; ર.પ્ર.શા.હીરજી હંસરાજ, સં. ૧૯૨૩; ૨. સજઝાયમાલા(શ્રા) : ૧. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [કી.જો.]