ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીવિજ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


લક્ષ્મીવિજ્ય : આ નામે ૧૬ કડીની ‘અસઝાય નિવારક-સઝાય’(મુ.), ‘છ અઠ્ઠાઈ-સ્તવન’ (ર.ઈ.૧૭૭૮), ૩૧ કડીનું ‘વિમલનાથ-સ્તવન’ (લે.સં. ૧૮મી સદી), ૬૮ કડીનું ‘ઋષભદેવ-રાગ-સ્તવન’ તથા ૪ કડીની ‘બીજીની સ્તુતિ’ એ કૃતિઓ મળે છે. તે કયા લક્ષ્મીવિજ્યની છે તે નિશ્ચિત રીતે કહેવું મુશ્કેલ છે. લક્ષ્મીવિજ્યને નામે મૂળ ૬૧૧ કડીના ભાવદેવસૂરિરચિત ‘પાર્શ્વનાથ-ચરિત્ર’ પદ્યબંધ ઉપરનો ૧૩૦૦૦ કડીનો સ્તબક (ર.ઈ.૧૭૫૧) મળે છે. સમયની દૃષ્ટિએ આ કૃતિ ભાણવિજ્યશિષ્ય લક્ષ્મીવિજ્યની હોવાની સંભાવના છે. ઈ.૧૭૯૫ પછીના કોઈ વર્ષમાં હયાત એવા લક્ષ્મીવિજ્યે ઢુંઢકમત અર્થાત્ સ્થાનકવાસીસંપ્રદાયના ઉદ્ભવનું નિરૂપણ કરતી ‘ઢુંઢિયા ઉત્પત્તિ/ઢુંઢક મતોત્પત્તિ-રાસ’ (ઈ.૧૭૯૫ પછી) કૃતિ રચી છે. ‘જૈન ગૂર્જર કવિઓ’માં આ કૃતિ લક્ષ્મીવિનય અને લક્ષ્મીવિજ્ય બંનેને નામે નોંધાયેલી છે, પરંતુ ખરેખર કૃતિ લક્ષ્મીવિજ્યની છે પણ એ કયા લક્ષ્મીવિજ્ય છે તે સ્પષ્ટ કહી શકાય એમ નથી. કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. જૈકાપ્રકાશ : ૧; સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૧); ૪. ડિકૅટલૉગબીજે; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]