ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લબ્ધિચંદ્ર સૂરિ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


લબ્ધિચંદ્ર(સૂરિ)-૨ [જ.ઈ.૧૭૭૯/સં.૧૮૩૫, શ્રાવણ વદ-અવ. ઈ.૧૮૨૭/સં.૧૮૮૩, કારતક વદ ૧૦] : તપગચ્છની પાર્શ્વચંદ્ર શાખાના જૈન સાધુ. વિવેકચંદ્રના શિષ્ય. જન્મ બીકાનેરમાં. ઓસવાલ છાજંડ ગોત્ર. પિતા ગિરધર શાહ. માતા ગોરમદે. ખંભાતમાં ઈ.૧૭૯૩/સં.૧૮૪૯, વૈશાખ સુદ ૩ના રોજ દીક્ષા. ઉજ્જૈનમાં ઈ.૧૭૯૮/સં.૧૮૫૪, માગશર વદ ૫ના દિવસે ભટ્ટારક પદ અને ઈ.૧૭૯૮/સં.૧૮૫૪, શ્રાવણ વદ ૯ના દિવસે આચાર્યપદ. બીકાનેરમાં અવસાન. રાજસ્થાનીહિન્દીની છાંટવાળી ભાષામાં ૬ કડીના ‘ફલોધિપાર્શ્વનાથજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૯૯/સં.૧૮૫૫, માગશર વદ ૩; મુ.), ૩ કડીના ‘ઋષભ-સ્તવન’ તથા ૭ કડીના ‘સિદ્ધાચલ-સ્તવન’ (મુ.)ના કર્તા. આ ઉપરાંત એમણે ‘જ્યોતિષજાતક’ તથા ‘સિદ્ધાચલરત્નિકાવ્યાકરણ’ નામના ગ્રંથો પણ રચ્યા છે, જે કઈ ભાષામાં છે તે સ્પષ્ટ નથી. કૃતિ : ૧. પ્રાસ્તસંગ્રહ; ૨. શ્રી શત્રુંજ્ય તીર્થાદિ સ્તવનસંગ્રહ, સં. સાગરચંદ્ર, ઈ.૧૯૨૮. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [ર.ર.દ.]