ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાભવર્ધન-લલચંદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


લાભવર્ધન/લલચંદ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ.સાધુરંગની પરંપરામાં શાંતિહર્ષના શિષ્ય. ‘ઉપપદી’ (ર.ઈ.૧૬૫૫), ‘વિક્રમ/૯૦૦ કન્યા/ખાપરાચોર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૭/સં.૧૭૨૩, મહા સુદ ૧૩, બુધવાર), ૨૯ ઢાલ અને ૬૧૯ કડીની ‘લીલાવતી-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૭૨/સં. ૧૭૨૮, કારતક સુદ ૧૪), ૫૯૪ કડીની ‘ખાપરાચોરની ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૧/સં.૧૭૨૭, ભાદરવા સુદ ૧૧), ‘પંચદંડ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૭/સં.૧૭૩૩, ફાગણ-), ‘ભાષાલીલાવતી-ગણિત’ (ર.ઈ.૧૬૮૦/સં.૧૭૩૬ અસાડ વદ-), ૮૯ ઢાલ અને ૫૨૬ કડીની ‘ધર્મબુદ્ધિ પાપબુદ્ધિ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૬૮૬), ‘સ્વરોદયભાષા’ (ર.ઈ.૧૬૯૭/સં.૧૭૫૩, ભાદરવા સુદ-), ૧૫૦ ઢાળ અને ૨૭૫૧ કડીની ‘પાંડવચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૧), ૫૬૪ કડીની ‘શુકનદીપિકા-ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૪/સં.૧૭૭૦, વૈશાખ સુદ ૩, ગુરુવાર), ૩ કડીની ‘નવપદ દ્રૂપદ’ અને ૭ કડીના ‘સીમંધર જિનસ્તવન’ના કર્તા. ‘લીંબડીના જૈન જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતિઓનું સૂચીપત્ર’માં લાલચંદને નામે નોંધાયેલો ‘મલયસુંદરી-રાસ’ (ર.ઈ.૧૬૮૭) રચનાસમય જોતાં પ્રસ્તુત કર્તાની જ કૃતિ હોવા સંભવ છે. ‘ખાપરાચોરની ચોપાઈ’ અને ‘વિક્રમ-ચોપાઈ’ એક હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. દેસુરાસમાળા; ૫. પાંગુહસ્તલેખો;  ૬. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ફેબ્રુ. માર્ચ ૧૯૪૪-‘વિક્રમાદિત્ય સંબંધી જૈન સાહિત્ય’, અગરચંદજી નાહટા;  ૭. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૮. ડિકૅટલૉગબીજે; ૯. ડિકૅટલૉગભાવિ; ૧૦. મુપુગૂહસૂચી; ૧૧. રાહસૂચી : ૧, ૨; ૧૨. લીંહસૂચી; ૧૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]