ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સંગ્રામસિંહ મંત્રી-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સંગ્રામસિંહ(મંત્રી)-૨ [ ] : જૈન શ્રાવક હોવાની સંભાવના. અંચલગચ્છના જયશેખરસૂરિના શિષ્ય. ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ ને ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ દરમ્યાન ૧ અંચલગચ્છીય જયશેખરસૂરિ થઈ ગયા. આ કવિ જો એમના શિષ્ય હોય તો તેઓ ઈ.૧૫મી સદી પૂર્વાર્ધમાં થઈ ગયા હોવાનું કહી શકાય. મુખ્યત્વે દુહા-ચોપાઈની ૧૮૨ કડીમાં રચાયેલો ‘શાલિભદ્રચરિત્ર-રાસ’ એમાં પ્રયોજાયેલા વિવિધ રાગોને લીધે વિશિષ્ટ છે. શાલિભદ્રના પૂર્વભવ અને આ ભવની કથા કહેતા આ રાસમાં શાલિભદ્રના સિદ્ધજીવન તરફના વિકાસની કથા આલેખાઈ છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૧;  ૨. મુપુગૂહસૂચી. [કી.જો.]