ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સંગ્રામસિંહ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સંગ્રામસિંહ-૧ [ઈ.૧૨૮૦માં હયાત] : શ્રીમાલવંશના ઠક્કુર કૂરસિંહના પુત્ર. એમની કૃતિ ‘બાલશિક્ષા’ (ર.ઈ.૧૨૮૦; મુ.)ને ગુજરાતીના અત્યારે ઉપલબ્ધ ઔકિતકોમાં સૌથી પ્રાચીન ગણવામાં આવે છે, પરંતુ વસ્તુત: તે સંસ્કૃત ભાષા દ્વારા ને ગુજરાતી દૃષ્ટાંતોની મદદથી વ્યારકરણની સમજૂતી આપતો ગ્રંથ છે. કૃતિ : *બાલશિક્ષા, સં. શ્રી જિનવિજ્યજી, ઈ.૧૯૬૨. સંદર્ભ : ૧. આકવિઓ; ૨. ગુલિટરેચર; ૩. ગુસાઇતિહાસ : ૧; ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો;  ૬. *પુરાતત્ત્વ, પુ. ૩, અંક ૧-‘બાલશિક્ષા’, લાલચંદ ગાંધી;  ૭. મુપુગૂહસૂચી. [કી.જો.]