ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સંઘવિજ્ય-૨ સિંઘવિજ્ય-સિંહવિજ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સંઘવિજ્ય-૨/સિંઘવિજ્ય/સિંહવિજ્ય [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યની પરંપરામાં ગુણવિજ્યના શિષ્ય. ૪૨ કડીનું ‘ઋષભદેવાધિદેવ-જિનરાજ-સ્તવન’ (ર.ઈ.૧૬૧૩/સં.૧૬૬૯, આસો સુદ ૩), ‘વિક્રમસેનશનિશ્ચર-રાસ’ (ર.ઈ.૧૬૨૧), ‘સિંહાસન-બત્રીસી’ (ર.ઈ.૧૬૨૨/સં.૧૬૭૮, માગશર સુદ ૨; મુ.), ‘અમરસેન-વયરસેનરાજર્ષિ-આખ્યાન’ (ર.ઈ.૧૬૨૩/સં. ૧૬૭૯, માગશર સુદ ૫) તથા ૪૩ કડીનો ‘ભગવતી/ભારતી-છંદ’ (ર.ઈ.૧૬૩૧/સં.૧૬૮૭, આસો સુદ ૧૫, ગુરુવાર; મુ.)ના કર્તા. તેમણે સંસ્કૃત ગ્રંથ ‘કલ્પસૂત્ર’ પર દીપિકા પણ રચી છે. કૃતિ : ૧. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ. ૧૯૩૬-‘સરસ્વતી પૂજા અને જૈનો’, સારાભાઈ મ. નવાબ; ૨. સાહિત્ય, એપ્રિલ ૧૯૩૩થી મે ૧૯૩૪-‘સિંહાસન બત્રીસી’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. ગુસારસ્વરૂપો; ૪. જૈસાઇતિહાસ; ૫. મરાસસાહિત્ય;  ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨); ૮. ડિકૅટલૉગભાવિ; ૯. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]