ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સહજકીર્તિ ગણિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સહજકીર્તિ(ગણિ) [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. રત્નસારની પરંપરામાં હેમનંદન-રત્નહર્ષના શિષ્ય. ‘સુદર્શન-શ્રેષ્ઠિ-રાસ’ (ર.ઈ.૧૬૦૫), ૧૨૨ કડીના ‘કમલાવતી/કલાવતી-રાસ’ (ર.ઈ.૧૬૧૨), ‘શત્રુંજ્યમાહાત્મ્ય-રાસ’ (ર.ઈ.૧૬૨૭/સં.૧૬૮૩, કારતક સુદ ૧૫), ‘શીલ-રાસ’ (ર.ઈ.૧૬૩૦/સં.૧૬૮૬, શ્રાવણ સુદ ૧૫), ‘શાંતિનાથ-વિવાહલો’ (ર.ઈ.૧૬૨૨/સં.૧૬૭૮, આસો સુદ ૧૦), ૧૧૩૪ ગ્રંથાગ્રના ‘દેવરાજવચ્છરાજ-ચોપાઈ/વત્સરાજર્ષિ-પ્રબંધ’ (ર.ઈ.૧૬૧૬), ‘હરિશ્ચંદ્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૧), ‘સાગર-શ્રેષ્ઠિ-કથા/સાગરશેઠ-ચોપાઈ (ર.ઈ.૧૬૧૯) વગેરે રાસકૃતિઓ; ‘ઉપધાનવિધિ-સ્તવન’, ૭ ગીતોનું ‘જેસલમેર ચૈત્ય પરિપાટી-સ્તવન’, ‘શતદલ પદ્મયંત્રમય-શ્રીપાર્શ્વનાથ-સ્તવન’, ૩૩ કડીની ‘થિરાવલી’ (ર.ઈ.૧૬૨૭/સં. ૧૬૮૩, માગશર વદ ૭), ૭૧ કડીની ‘વ્યસનસત્તરી’, ‘એકાદિશતપર્યન્ત-શબ્દસાધનિકા’, ૬ ખંડોમાં વિભાજિત ‘નામ-કોશ’ અને ગદ્યગ્રંથ ‘પ્રતિક્રમણ-બાલાવબોધ’ તથા ૯ કડીના બે ‘જિનરાજસૂરિગુરુ-ગીત’(મુ.) અને ‘વ્રત-છત્રીસી’ (ર.ઈ.૧૬૩૨/સં.૧૬૮૮, આસો સુદ ૧૦; મુ.) જેવી રચનાઓ તેમની પાસેથી મળી છે. સહજકીર્તિના નામે ૧૭ કડીનું ‘આદિજિન-સ્તવન’ મળે છે જે આ કવિની કૃતિ હોવાનું અનુમાન છે. રત્નસાગરગણિની સહાયથી રચેલ ‘કલ્પમંજરી/કલ્પસૂત્ર-વૃત્તિ’ (ર.ઈ.૧૬૨૯), ‘મહાવીર-સ્તુતિ-વૃત્તિ’ (ર.ઈ.૧૬૩૦), ‘ગૌતમકુલક-બૃહદ્-વૃત્તિ’ વગેરે કૃતિઓ તથા લક્ષ્મીકીર્તિગણિની સહાયથી રચેલ ‘સપ્તદ્વિપ/શબ્દાર્ણવવ્યાકરણઋજુપ્રાજ્ઞવ્યાકરણપ્રક્રિયા’(ર.ઈ.૧૬૨૫) આ કવિની સંસ્કૃત કૃતિઓ છે. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. ષટદ્રવ્યનવિચારાદિ-પ્રકરણસંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. પ્રાકારૂપરંપરા; ૫. મરાસસાહિત્ય; ૬. યુજિનચંદ્રસૂરિ;  ૭. જૈન સત્યપ્રકાશ, જન્યુ. ૧૯૪૬ - ‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા; ૮. એજન ડિસે. ૧૯૫૨-‘કતિપય આવશ્યકીય સંશોધન’, અગરચંદ નાહટા;  ૯. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૧૦. મુપુગૂહસૂચી; ૧૧. લીંહસૂચી.[ર.ર.દ.]